સુરત : શ્રી ગોરાટ હનુમાન ભક્ત મંડળ દ્વારા મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો

શ્રી ગોરાટ હનુમાન ભક્ત મંડળ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે મંદિરના પટાગણમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયુ હતું જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લેવા અનુરોધ કરાયો હતો.
રાંદેર રોડ ગોરાટ અડાજણ ખાતે આવેલ શ્રી ગોરાટ હનુમાન ચોક ખાતે શ્રી ગોરાટ હનુમાન મંદિર પાસે રવિવારના રોજ કોરોનાની મહામારીથી બચવા માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને સરકારી ગાઈડ લાઈન મુજબ વેક્સિન લેવા આહવાન કર્યુ હતું. અને તેને લઈ લોકો પણ વેક્સિન લેવા ઉમટી પડ્યા હતાં.
સુરતમાં રવિવારે સુરત મહાનગર પાલિકાના સહયોગથી અનેક સ્થળોએ વેક્સિનેશન સેન્ટરો ઉભા કરી લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી.