સુરત : શ્રી પ્રાણનાથ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનુ ઉદ્ઘાટન કરાયુ

વેડરોડની શ્રી પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા અમરોલી છાપરાભાઠા રોડ પર શ્રી પ્રાણનાથ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ કરી છે જેનું વસંત પંચમીએ ઉદ્ધઘાટન કરાયુ હતું.
માનવ ધર્મના પ્રણેતા મહામતિ પ્રાણનાથજીના સુત્ર સુખ શીતલ કરૂ સંસાર અને તુમ સેવાસે પાઓગે પાર ને ચરિતાર્થ કરવા સ્વામીશ્રી તારતમ જ્યોતિજી મહારાજએ વેડ કતારગામ વિસ્તારના આર્થિક રીતે પછાત લોકો માટે નહી નફો નહી નુકશાનના દોરણે શરૂ કરે પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા અમરોલી છાપરાભાડા તથા કોસાડ વિસ્તારના દર્દીઓની સેવા થઈ શકે તે માટે આજે એટલે કે મંગળવાર 16 ફેબ્રુઆરી વસંત પંચમીએ શ્રી પ્રાણનાથ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનુ ઉદ્ઘાટન કરાયુ હતું જે પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
શ્રી પ્રાણનાથ હોસ્પિટલ 1993થી કાર્યરત છે અને નહી નફો નહી નુકશાનના ધોરણે દર્દીઓને ઉચ્ચત્તમ સારવાર આપી રહી છે.