Panchmahal : પ્રેમસંબંધની આશંકામાં અપહરણ અને હત્યાને આપ્યો અંજામ

શહેરાના વલ્લવપુર ગામના પિતા-પુત્ર ગુમ થયાનો મામલો
પ્રેમસંબંધની આશંકામાં યુવતીના પરીવારજનો એ અપહરણ અને હત્યાને આપ્યો હતો અંજામ
વલ્લવપુર ગામના પરણીત યુવાન ને નજીકના ગોકળપુરા ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની આશંકાએ યુવતીના પરિવારજનોએ હત્યાનું કાવતરું રચ્યું હતું
બે વર્ષના દીકરા સાથે બાઈક પર ફરવા નીકળેલ પિતા-પુત્રનું ઇક્કો કારમાં કર્યું હતું અપહરણ
અપહરણ કર્યા બાદ શહેરાના ખરોલી ગામની સીમમાં યુવકની ઘાતકી હત્યા કરી લાશને નર્મદા કેનાલમાં નાખી દેવાઈ હતી
2 વર્ષના માસૂમ બાળકને પણ જીવતો મહી નદીમાં નાખી મોત નિપજાવ્યાની આશંકા
ગુમ થયાના ત્રણ દિવસ બાદ યુવકની લાશ ગળતેશ્વરના ભલાડા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી
જિલ્લા પોલીસ સાથે એનડીઆરએફની ટિમો છેલ્લા ત્રણ દિવસથી મહી નદીમાં શોધી રહી છે બે વર્ષના માસૂમ બાળકની લાશ
હજુ સુધી બાળકનો લાગ્યો નથી કોઈ પત્તો
શહેરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી