Panchmahal : શહેરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની રિસર્વેની કામગીરી

શહેરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની રિસર્વેની કામગીરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા શિક્ષકોને સોંપવામાં આવી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અગાઉ થયેલ સર્વે શંકાસ્પદ જણાતા સાચા લાભાર્થીઓનો રીસર્વે કરવા માટેની કામગીરી કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા શિક્ષકોને હુકમ કરવામાં આવ્યો હતો અને આ રીસર્વેની કામગીરી પાંચ દિવસમાં પૂર્ણ કરવા શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને સુચના આપવામાં આવી હતી,જેને લઈને શિક્ષકોએ સોંપવામાં આવેલ કામગીરી બાબતે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ શિક્ષક સંઘના હોદ્દેદારોએ દરમિયાનગિરી કરતા સમાધાન થયું હતું.