Prantij : કોગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો .
પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે પ્રાંતિજ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા કોગ્રેસ ના વરિષ્ઠ નેતા અને રાજય સભાના સાંસદ અને સોનીયા ગાંધી ના અંગત સલાહકાર સ્વ.અહેમદ ભાઇ પટેલ નું કોરોના ને લઈને સારવાર દરમ્યાન હોસ્પિટલ માંજ મોત નિપજ્યું હતું તો તેમના મોત ને લઈને કોગ્રેસ પક્ષ માં શોક ફેલાયો છે તો પ્રાંતિજ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ-તલોદ ના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા જિલ્લા સદસ્ય મિલ્કત સિંહ રાઠોડ , જિલ્લા સદસ્ય રામસિંહ , પ્રાંતિજ તાલુકા પ્રમુખ બહેચરસિંહ રાઠોડ સહિત કોગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને સ્વ.અહેમદ ભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ને બે મીનીટ માટે મૌન પાડી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી .