Surat : કુરૂક્ષેત્ર સ્શાન ભુમિ માટે વધુ એક દાતા સંસ્થા આગળ આવી

જહાંગીરપુરા ખાતે આવેલ કુરૂક્ષેત્ર સ્શાન ભુમિ માટે વધુ એક દાતા સંસ્થા આગળ આવી છે. અને સ્મશાન ભુમિના જીર્ણોધ્ધાર માટે 1 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ હતું.
શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટને તળપદા કોળી પટેલ પંચ, જહાંગીરાબાદ દ્વારા ગ્રામ રાહત યોજના હેઠળ 1 લાખ એક રૂપિયાનું દાન કરાયું હતું. આ કાર્યક્રમમાં પટેલ પંચના પ્રમુખ મહેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ તેમજ અગ્રણીઓ જોડાયા હતા.
અગાઉ પણ શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભુમિ જીર્ણોધ્ધાર ટ્રસ્ટને અનેક સંસ્થાઓ અને સામાજિક લોકો દ્વારા દાન અપાયુ છે.