Surat : મકાન ખાલી ન કરતા જાનથી મારી નાંખવાની ધમકી

કતારગામ ખાતે રહેતી વિધવા મહિલાએ સંબંધી વિધવા મહિલાને નજીવા ભાડે થોડા સમય માટે આપેલ મકાન ખાલી ન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
રાંદેર પાલનપુર પાટીયા ખાતે આવેલ ગંગા નગર રો હાઉસમાં રહેતી વિધવા મહિલા જયશ્રીબેન સુતારે એ પોલીસ કમિશનરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે તેઓએ કતારગામ ખાતે આવેલ કુબેરનગરના મહાવિર કોમ્પલેક્ષનો પોતાનો ફ્લેટ ઓળખીતા સતીષભાઈ પટેલની ભાણેજ પીન્કીબેન સોલંકી કે જે પણ વિધવા છે તેને રહેવા માટે આપ્યો હતો. જે ફ્લેટ થોડા સમયમાં ખાલી કરી આપવાની વાત કરી નજીવા ભાડે ફ્લેટ લઈ વર્ષો થઈ ગયા હોવા છતા પણ ફ્લેટનો કબ્જો ખાલી ન કરી ધમકી આપી હતી. વિધવા મહિલાનો ફ્લેટ પચાવી પાડનાર અન્ય વિધવા મહિલા અને તેના મામા સામે હાલ તો પોલીસ કમિશનરને રજુઆત કરી ન્યાય અપાવવા માંગ કરાઈ છે.