Surat : યોગીચોક ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

હાલ પેટા ચૂંટણી ને લઈ સુરત ખાતે કોંગ્રેસ નું વિજય વિશ્વાસ સંમેલન યોગીચોક ખાયે યોજાયું હતું જેમાં વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી અને સવાર કુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત ઉપસ્થિત રહી ધારી ના કોંગ્રેસ ના ઉમેદવાર સુરેશ કોટડીયા ને જીત અપાવવા અપીલ કરી હતી
ગુજરાત મા પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાની સભાઓ યોજી રહી છે તેવામાં સુરત ના યોગીચોક ખાતે સરદાર ફાર્મ મા કોંગ્રેસ નું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી અને સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત ઉપસ્થિત રહયા હતા પ્રેશ ધાનાણી એ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ તાનાશાહી નું રાજ કરી રહી છે જેનો જવાબ હવે ગુજરાત ની જનતા માંગશે ..કોરોના પહેલા ઈન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરાવી હોત તો કોરોના ભારત મા પ્રવેશ ના કરી શક્યો હોત ...વગેરે જેવા આકરા પ્રહાર પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે ભાજપ પર કર્યા હતા..ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવા ની ઘટના બની હતી તેના પર પણ પરેશ ધાનાણી એ પોતાની પ્રતિક્રિયા આપી હતી...મહત્વનું છે કે સુરત ના વરાછા વિસ્તાર મા ધારી ખાંભા અને બગસરા ના લોકો રહે છે અને તેમનો વિશ્વાસ જીતી ધારી પેટા ચૂંટણી ના કોંગ્રેસ ના ઉમેદવાર સુરેશ કોટડીયા ને મત અપાવવા લોકો ને અપીલ કરી હતી