Surat : રાયોટીંગ વીથ મર્ડરના ગુનામાં ભાગી રહેલા હત્યારાઓમાંથી ત્રણ પકડાયા

સુરત રેલ્વે પોલીસની હદમાં રાયોટીંગ વીથ મર્ડરના ગુનામાં ભાગી રહેલા હત્યારાઓમાંથી ત્રણ હત્યારાઓને નવસારી એલ.સી.બી.ની ટીમે કલાકોમાં ઝડપી પાડી સુરત રેલ્વે પોલીસને તેઓનો કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
રવિવારના રોજ સહારા દરવાજા ખાતે રેલ્વે ની ઝુપડપટ્ટીમાં રહેતી મહિલા ગૌરીબેન નામની આધેડ મહિલાની ત્યાં જ રહેતા સંજય ર્ફે મચ્છર નામના ઈસમે જુના ઝઘડાની અદાવતમાં સાગરીતો સાથે મળી ઘાત્કી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી છુટ્યા હતાં. જેઓને ઝડપી પાડવા સુરત રેલ્વે પોલીસ સાથે બ્રાન્ચોએ પણ નજર દોડાવી હતી. જ્યારે નવસારી એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે સુરત રેલ્વે પોલીસ મથકની હદમાં મહિલાની હત્યા કરનાર સંજય ઉર્ફે મચ્છર અરવિંદ વાહુરવાઘ તથા તેના બે સાગરીતો યોગેશ નાયકા અને ઉમેશ મનોજભાઈ ઉર્ફે મુન્ના ભાઈ નાયકાને ઝડપી પાડ્યા હતાં. નવસારી એલસીબીએ આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા, મોપેડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.