અમરેલી : પી.આઈ શર્મા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજાઇ

અમરેલી જીલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મિટિંગ પી આઈ શર્મા દ્વારા યોજીને રમજાન માસ સરૂ થતો હોય તેવા સમયે હાલ ફરી કોરોના વાયરસે માથું ઉચકતા દિન પ્રતિ દિન કોરોના વાયરસના કેસોમાં નોધ પાત્ર વધારો જોવા મળ્યો છે જેથી સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ નવી ગાઈડલાઇન મુજબ રમજાન માસની નમાઝ લોકો પોતાના ઘરમાંજ પઢવામાં આવે અને મજઝિદ મોલાના એમના નિયમ અનુસાર સમયે નમાઝ પઢે અન્ય લોકો ભેગાનો થાય અને સરકારશ્રીના આદેશ મુજબ માસ્ક પહેરવું અને સોસીયલ ડિસ્ટન્સ પાલન કરવામાં આવે અને કામ વગર લોકોને ઘરથી બહાર ના નીકળે જેથી કોરોનાનું સંક્રમણ વધે નહી તે હેતુ થી પી.આઈ શર્મા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજાઇ.