અમરેલી : સાઇ મંદિરના સાનિધ્યમાં જાપ યજ્ઞનું આયોજન કરાયુ

સાઇ મંદિર દ્વારા જાપ યજ્ઞ
કૉરૉના ની મહામારી માથી સહુ ને વહેલી તકે મુક્તિ મળે એ માટે થઇ આજ રૉજ સાઇ મંદિર ના સાનિધ્ય મા જાપ યજ્ઞ રાજુબાપુ દ્વારા કરી ને ગરીબ પરિવાર ના જરૂરિયાત મંદ લૉકૉ ને ઘરે ઘરે ભોજન આપવા મા આવેલ હતુ
સાઇ મંદિર ની નિસ્વાર્થ સેવાકાર્ય આજે ગુજરાત- સૌરાષ્ટ્ર ના શહેરૉ તથા ગામડાંઓ અને વિદેશ મા યુ.કે. લંડન સુધી પહૉચી છે અને રાજુબાપુ ને સતત તમામ જ્ઞાતિ ના લૉકૉ જે વસ્તુઓ ઘટે એ ફૉન દ્વારા જાણી ને સાઇ મંદિરે પહૉચાડી રહેલ છે ત્યારે રાજુબાપુ એ જણાવેલ કે આ પાવન ભુમી દાનમહારાજ ની છે અહી સત્ય નૉ હંમેશા વિજય થાય અને સત્ય હોય એજ કાયમ માટે ટકી રહે
રાજુબાપુ સતત પૉતે જ જાતે રસોઈ બનાવી ને શિવસાઇ મિત્ર મંડળ ના સહયોગ થી ગરીબ પરિવાર ને ઘરે ઘરે ભોજન પહૉચાડી રહેલ છે.
રાજુબાપુ એ તમામ દાતાશ્રીઓ ને વિનંતી સાથે જણાવેલ કે આપને યોગ્ય લાગે એ વસ્તુઓ આપના હસ્તે લયને આપતા રહેજો જેથી આ સેવાકાર્ય અવિરત શરૂ રહે અને ખરેખર જરૂરિયાત મંદ ગરીબ પરિવાર ના ઘર સુધી આપનુ દાન ભોજન રૂપે પહૉચે
વસ્તુઓ આપવા સંપર્ક
સાઇ મંદિર ચલાલા રાજુભાઇ જાની
મૉ.9408278853