કાંકરેજ : થરા ખાતે સર્વિસ રોડ પર નું પાણીનો નિકાલ કરવામાં આવ્યો

કાંકરેજ તાલુકામાં થરા ખાતે આવેલ સર્વિસ રોડ પર પાણી ભરાઈ આવતા વેપારી લોકો ની નારાજગી જોવા મળી હતી જે બદલ મીડિયા માં વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરતા તંત્ર ઘોર નિંદ્રામાં જાગ્યો હતો તેમજ રોડ પર નું પાણી નો નિકાલ કરવામાં આવ્યો હતો થરા સર્વિસ રોડ પાણીનો નિકાલ થતાં થરા વેપારીઓએ રાહત અનુભવી હતી. પાણીના નિકાલ થી વેપારી ના ધંધા-રોજગાર રાબેતા મુજબ ચાલુ થયા હતા . જેમાં હજુ પણ ગુજરાત ના ગતિશીલ વિકાસ ના ખાડા પૂરવામાં આવે તેવી થરા નગર પાલિકા વિસ્તાર ના વેપારી ઓ ની લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું.