કાંકરેજ : નર્મદા કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી

કાંકરેજ તાલુકાના નેકારીયા પાસે આવેલ નર્મદા કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી.થરા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયા દ્વારા બહાર કાઢીને થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે લાવવામાં આવી.યુવક ઠાકોર સમાજ નો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે . કાંકરેજ તાલુકામાં આવેલ નર્મદા કેનાલ મોતની કેનાલ સાબિત થઈ ગઈ છે.આખરે હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય અકબંધ રહ્યું છે.
લાશ થરાના વજેગઢ ની હોવાનું થરા પોલીસ દ્વારા જણાવ્યું હતું ત્યારે હવે આખરે તો આ મોતનો સિલસિલો ક્યારે અટકશે તે અંગે જોવાઈ રહ્યું
મૃતક નું નામ હદાજી શિવાજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે.