કાંકરેજ : માંડલા ગામે સમશાનભૂમીમાં દાતા દ્વારા પક્ષીઘરનું ખાતમુહૂર્ત

કાકરેજ નાં માંડલા ગામે સમશાનભૂમીમાં દાતા દ્વારા પક્ષીઘર નુ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન ટ્રસ્ટ દ્વારા રવિવારના શુભ દિવસે સવારે
11/30 કલાકે માંડલા ખાતે પંખીઘર-ચબુતરા નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા વતી અલ્કેશભાઈ તથા વસંતભાઈ હાજર રહ્યા હતા
માંડલા ગામનાં વડીલ અગ્રણી તેજાભાઇ ચૌધરી ,ના વરદ હસ્તે ખામુહૂર્ત કરવામાં આવેલ જેમાં ગામનાં કિશોરભાઈ પ્રજાપતિ, વીરાભાઇ ચૌધરી, કરસનભાઈ પંડ્યા, રામશીભાઈ ચૌધરી , વિષ્ણુભાઈ પંડ્યા ,રમેશભાઈ પંડયા, જયેશભાઈ ચૌધરી સલાભાઈ ઠાકોર, લક્ષ્મણભાઈ ચૌધરી, નરેશભાઈ પંડયા, ભરતભાઈ પંડયા વગેર ગામ લોકો હાજર રહ્યા હતા