કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉંન

કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉંન

હાલમાં કોરોના કેસો ઘટ્ટતા લોકોએ કાળજી રાખવાનું બંધ કર્યું હોઈ પીએમ મોદીએ રાષ્ટ્ર સંબોધનમાં લોકોને જ્યાં સુધી દવા નહિ ત્યાં સુધી ઢીલાશ નહીનું સૂત્ર આપી કોરોના સામે સાવચેતીના પગલાં ભરવા કહ્યું હતું પરંતુ લોકોની બેકાળજીને કારણે ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર હજુ યથાવત છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ કોરોના મહામારીના કારણે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક જ અઠવાડિયમાં આ વિસ્તારમાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા છે. જેથી આ વિસ્તારમાં આવેલી 50 થી વધુ સોસાયટીઓએ સ્વયંભુ લોકડાઉનમાં જોડાઇ છે. જેને લઇને આજ વહેલી સવારથી દુકાનો બંધ જોવા મળી છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે