ખેરગામ : રાજપૂત ફળિયામાં દુકાનમાંથી મજૂરની લાશ મળતા ચકચાર

ખેરગામ તાલુકાના આછવણી રાજપૂત ફળિયામાં નવી બની રહેલી દુકાન માંથી મજૂરની લાશ મળતા ચકચાર પોલીસે ઘટના સ્થળે પોહચી ટાપ્સ હાથ ધરી
ખેરગામ તાલુકાના આછવણી ગામના રાજપૂત ફળિયામાં વલસાડ ખાતે રહેતા મોતીભાઈ પરાગભાઈ ટડેલની આછવણીના રાજપૂત ફળિયામાં આવેલી જગ્યામાં નવી દુકાનનું બાંધ કામ ચાલી રહ્યું હતું.જેમાં ગણદેવીના પાટી કોકર ફળીયામાં રહેતો હેમલભાઈ પ્રભુભાઈ ધો.પટેલ ઉ.વ.40 જેઓ આછવણી રાજપૂત ફળિયા ખાતે નવી બની રહેલી દુકાનના બાંધ કામમાં મજૂરી કરી હેમલ પટેલ દુકાન માજ રહેતો હતો.પરંતુ તા.3.5.2021ના સોમવારના રોજ દુકાનમાં હેમલ પટેલની લાશ મળી આવતા ચકચાર થવા પામ્યું હતું.આ અંગે ખેરગામ પોલીસને જાણ કરાતા ખેરગામ પોલીસ થકના મહિલા પીએસઓ એસ.એસ માલ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા.બાદ લાશનો કબ્જો મેળવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી.આ અંગે મૃતકના ભાઈ સંજયભાઈ પ્રભુભાઈ પટેલે પોલીસ મથકે જાહેરાત આપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.આ અંગે ખેરગામ પોલીસ મથકના મહિલા પીએસઆઇ એસ.એસ માલે વધુ જણાવ્યું હતું.કે લાશનો કબ્જો મેળવી હાલ લાશનું પી.એમ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.પરંતુ હાલ મોતનું કારણ જાણી શકાયું નથી પી.એમ રિપોર્ટ આવ્યા બાદજ મોતનું કારણ જાણી શકાશે