ગુજરાત ભાજપમાં 3 બળવાખોર નેતાઓ સસ્પેન્ડ

ગુજરાત ભાજપમાં 3 બળવાખોર નેતાઓ સસ્પેન્ડ

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ પેટાચૂંટણીમાં ભાજપમાં પણ બળવો થયો છે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બળવો કરીને પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ભાજપના 3 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આદેશથી સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી, ભૂપતભાઇ ઉનાવા અને શાંતિલાલ એમ.રાણવાનો સમાવેશ થાય છે. શાંતિલાલ એમ. રાણવાએ (અમરેલી જીલ્લા પ્રમુખ, અનુ.જાતિ મોરચો) બોટાદ જિલ્લાની ગઢડા બેઠક પર બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે તો ભૂપતભાઇ ઉનાવાએ (શહેર ઉપપ્રમુખ, બગસરા) અમરેલી જિલ્લાની ધારી અને જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણીએ (ન.પા. સદસ્ય, વોર્ડ નં. ૦૯) મોરબી બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વગર ઉમેદવારી કરવા બદલ ત્રણેય કાર્યકરોને ભાજપામાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે.