ચોટીલા : થાનગઢ ગામે આવેલ બાયપાસ રોડની હાલત અતિ બિસ્માર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે આવેલ બાયપાસ રોડ અતિ બિસમાર હાલત હોવાથી મામલતદાર કચેરી ખાતે પાંચાલ સીરામીક એસોસિયન વિકાસ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.
થાનગઢ ગામના બાયપાસ રોડ પર આશરે 100 થી વધુ સીરામીક એકમો આવ્યા છે ત્યારે આ એકમો માં વપરાતું મટીરીયલ માટે બહાર ગામ થી આવતા વાહનો ને પારાવાર મુશ્કેલીઓ સર્જાતી હોવાથી વાહન ચાલકો આવતા ન હોવાથી સીરામિકા એકમો ને મુશ્કેલી સહન કરવી પડતી હોય છે તેમજ આ એકમો માંથી સીરામીક એકમો માંથી માલ સપ્લાય કરવા માટે એક ફૂટ થી વધુ ખાડા હોવાથી માલ ને નુકશાન થતું હોય છે અને સરકાર ને આ અંગે વારંવાર રજુઆતો કરવા છતા આ બાયપાસ રોડ જે સે થે જેવી સ્તીથી રહેતી હોવાથી ફરી એકવાર મામલતદાર કચેરીએ લેખિત આવેદન પત્ર પાઠવ્યુ હતું.