ચલથાણ : બજરંગદળના કાર્યકરો દ્વારા માંસાહારી દુકાનોને લઇ વિરોધ

કડોદરા નગરમાં ચાલતી માંસાહારી દુકાનો જાહેરમાં ચાલતી હોવાનો વિરોધ લઈને બજરંગદળના કાર્યકરો કડોદરા નગરપાલિકાએ પોતાની રજુઆત લઈને પહોંચ્યા હતા.
સુરત જિલ્લાના કડોદરા નગર ખાતે આવેલ ક્રિષ્ના નગરની નહેરની સામે વર્ષોથી ચાલતી આવતી માંસાહારની હાટડીઓ ચાલતી આવેલ છે જ્યારે આ મામલે રજુઆત કરવા બજરંગદળના કાર્યકરો નગરપાલિકાએ ઘસી આવ્યા હતા અગાઉ પણ આ મામલે ઘણી વખત લોક માંગ ઉઠી હતી કે અંહી પરથી
કોઈની લાગણી દુભાય નહિ તે રીતે તાત્કાલીક પગલાંઓ લેવામાં આવે પરંતુ ફરીથી માંસાહારની હાટડીઓ શરૂ થઈ ગઈ હતી અને ખુલ્લામાં વેચાણ શરૂ થઈ જતા આ મામલે બજરંગદળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તથા કડોદરા નગરપાલિકાના અધિકારીઓ પાસે કરેલ પોતાની રજૂઆત નો યોગ્ય નિકાલ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.