જામનગર : જી.જી હોસ્પિટલ 300 થી વધુ કર્મચારીને છુટા કરી દેવામાં આવ્યા

જામનગર જી જી હોસ્પિટલ 300 થી વધુ કર્મચારી ને છુટા કરી દેવામાં આવ્યા.એકાએક હોસ્પિટલમાંથી covid વિભાગમાં જોડાયેલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા સૌથી વધુ હંગામી કર્મચારીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં કોવિડ વિભાગમાં હંગામી ફરજમાં જોડાયેલા 300થી વધુ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી કર્મચારીઓના છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પગાર પણ નથી દેવામાં આવ્યા તેવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત મહિલા કર્મચારીઓ દ્વારા શોષણ કરાતું હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. એકાએક હોસ્પિટલમાંથી covid વિભાગમાં જોડાયેલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા સૌથી વધુ હંગામી કર્મચારીઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અને જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ૪૮ કલાક દરમિયાન તેમના પ્રશ્નોના નિરાકરણ લાવવા અને ન્યાય માટેની માગણી કરવામાં આવી છે જો માગણી નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં હોસ્પિટલ અથવા તો કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.