જામનગર : જીલ્લાના બાણૂગર ગામે સ્વૈચ્છિક લોકોડાઉન

રાજ્યમાં એક તરફ કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જામનગરના મોટીબાણુગાર ગામે એક સપ્તાહ માટે સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું છે. પાંચ હજારની વસ્તી ધરાવતા મોટી બાણુગર ગામે હાલ 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સંપૂર્ણ ગામ બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના પગલે ગઈકાલ રાતથી જ સંપૂર્ણ ગામ બંધ જોવા મળી રહ્યું છે અને બજારો પણ સુમસામ જોવા મળી રહી હતી. ઈમરજન્સી કારણો સિવાય ઘરની બહાર નહિ નિકળવાનું ગ્રામ પંચાયત દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. જેને પગલે વહેલી સવારથી જ ચહલપહલ ધરાવતા ગામમાં ગામની મુખ્ય બજારો તેમજ શેરી મહોલ્લાઓ માં લોકોની અવર-જવર પણ જોવા મળી રહી ન હતી અને બજારો પણ બંધ જોવા મળી રહી છે.