જામનગર : સરદાર પટેલની 146 મી જન્મજયતિની ઉજવણી કરવામાં આવી

જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રણજીત નગર ખાતે આવેલ લેઉવા પટેલ સમાજ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ અને વિવિધ રાજકીય તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીએ જામનગરમાં પટેલ સમાજ પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને મહાનુભાવ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન ચરિત્ર વિશે લોકો પોતાના જીવનમાં પ્રેરણા લે તેવી લાગણી વ્યક્ત કરી ઉજવણી કરવામાં આવી હતી.