ડોક્ટરોની લૂંટથી બચો - તમારા શરીરને તદુંરસ્ત રાખવાના ઘર ગથ્થું ઉપાય જાણો

ડોક્ટરોની લૂંટથી બચો - તમારા શરીરને તદુંરસ્ત રાખવાના ઘર ગથ્થું ઉપાય જાણો

આજની ફાસ્ટ અને ઝડપી જિંદગી જીવવામાં અનેક રોગોનો રાફડો ફાટ્યો છે ત્યારે આજના ડોકટરો અને વૈધોએ સાચું જ્ઞાન આપવાના બદલે અધૂરું જ્ઞાન આપીને લોકોને લૂંટવાનો એક ગોરખ ધંધો બનાવી દીધો છે જેના કારણે બકરી કાઢવા જતા ઉંટ પેસી જાય અને બકરી પણ નીકળતી નથી તેવી ઘટનાઓ બનવા લાગી છે.
રોગ કેમ થાય છે ?
રોગની કઈ કઈ અવસ્થાઓ છે ?
કઈ અવસ્થામાં શું કરવું જોઈએ તેનું સાચું જ્ઞાન ડોક્ટર - વૈદ્ય કે લોકોને મળે એવા કેળવણીના સંસ્કાર નથી.
આમ તો શરીરમા રોગોનું મૂળ કારણ મંદ અગ્નિ છે મંદ અગ્નિ થયા પછી શરીરમાં કેટલીક ક્રિયાઓ શરુ થાય છે દોષ એના સ્થાનમાંથી બહાર ઉભરાય તેને પ્રકોપ કહેવાય છે પછી એ દોષ શરીરમાં પ્રસરે તેને દોષ પ્રસાર કહેવાય છે જેમાંથી 3 દોષોનું પ્રમાણ વધારે જોવા મળે છે જે દોષ છે વાયુ - પિત્ત અને કફ.
વાયુ દોષના લક્ષણો :-  
વાયુ વિકાર પક્ષાઘાત - કંપવાત - બાળ લકવો - રાંઝણ - કમરનો દુખાવો - સાંધાનો દુખાવો કે જકડાઈ જવા - આમવાત - વંધત્વ - કસુવાવડ - શીઘ્ર સ્ખલન - અડદિયો વા - અટકીને પેસાબ - વાયુ ચડવો - ઓડકાર આવવા - પેટમાં આફરો થવો - અનિંદ્રા - શરીર ઝણઝણાટી થવી - કાનમાં બહેરાશ, દુખાવો કે આવાજ આવ્યા કરવો - ચામડીમાં લૂખી અને બરછટ થવી આ બધા જ રોગોમાં વાયુની પ્રબળતા હોઈ છે જે થવાના મુખ્ય કારણો નીચે મુજબના છે..
વાયુ દોષના કારણો :-  
મળમૂત્ર કે કુદરતી વેગો રોકવાથી - જમ્યા પછી તરત નાસ્તો કરવાથી - ઉજાગરા કરવાથી - જોરથી બોલવાથી - વધુ પડતો શ્રમ કરવાથી - પ્રવાસથી - તીખા, કડવા અને તુંરા પદાર્થોના વધુ પડતા સેવનથી - વાદળો થવાથી - ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે જેના ઘર ગથ્થું આયુર્વેદિક ઉપાયો નીચે મુજબ છે
વાયુ દોષના ઘર ગથ્થું આયુર્વેદિક ઉપાયો :-   
1, 500 ગ્રામ મેથી જીણી દળીને તેમાં 1 કિલોગ્રામ ઘી અને 6 કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ઘટ્ટ બનાવવું ત્યારબાદ તેમાં 1.5 કિલો સાકર નાખી મેથી પાક બનાવવો। જે પાક સવારે 25 થી 40 ગ્રામ ખાવાથી દરેક પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે
2, 15 થી 20 ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે
3, અજમો તવી પર ગરમ કરી સમભાવે સિંધવ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે
4, આદુનો રસ - લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર સાંજ પીવાથી વાયુ માટે છે
આદુનો રસ - લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆત માં લેવાથી વાયુ માટે છે
5, સુંઠ ના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી 30 - 40 ગ્રામની લાડુંડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે
----------------------------------------------------------------------------------------
પિત્ત દોષ થવાના લક્ષણો :-
ખાધા પછી ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે આવું થવાનું કારણ જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે ત્યારે આ દોષ થાય છે
પિત્ત દોષ થવાના કારણ :-
ભારે ખોરાક અને બેઠાડુ જીવન ગેસ - આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે
કસરત ન કરવી - પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફૂડ નો ચટાકો પણ અપચો કરે છે જેના કારણે માથું દુખવા લાગે છે અને ખાટા ઓડકાર આવે છે અને પેટમાં દુખવા લાગે છે જેથી કોઈ કામમાં મન નથી લાગતું।
પિત્ત નિવારણના આયુર્વેદિક ઉપાય :-
1, જીરું પાવડર ભેળવી સાથે થોડીક હિંગ મિક્ષ કરી ખાવાથી પિત્તનો ભરાવો દૂર થાય છે
2, અઢી તોલા મેથી અને અઢી તોલા સૂવાને અધકચરા શેકી ખાંડી દઈ આ ચૂર્ણ ને એક એર ટાઈટ ડબ્બામાં મૂકી દેવું બાદમાં દિવસમાં 3 વાર અડધો - અડધો તોલો પીવાથી વાયુ - ગોળો - આફરો - ખાટા ઓડકાર - પાતળા ઝાડા જેનું કારણ પિત્ત હશે તે મટી જશે
3, મેથી અને સુવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ - મોળ - આફરો - ઉબકા અને ખાટા ઓડકાર અને પિત્તમાં અસર થશે
4, ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરી ને પીવું
5, કોકમ - એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે
6, દાડમનો રસ ઉલ્ટી બેસાડે છે તેમજ સગર્ભા સ્ત્રીની ઉલટીને મટાડે છે જે પિત્ત માટે પણ અસરકારક છે
7, કોઠાના પાનની ચટણીનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે
8, ટામેટાના રસ કે સૂપમાં સાકાર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે
9, અળવીના કુણા પાનનો રસ અને જીરાના પાઉડરને મેળવી પીવાથી પિત્ત પ્રકોપ મટે છે
----------------------------------------------------------------------------------------
કફ દોષ થવાના કારણો :-
કફ જમા થવાના ઘણા બધા કારણો છે જેમ કે સીઝન - શરદી - ફલૂ - વાયરલ ઇન્ફેક્શન - સાયનસ - સ્મોકિંગ વગેરે તેમજ ચોમાસામાં અને શિયાળામાં આ તકલીફ વધુ જોવા મળે છે આ સમસ્યાઓમાં સામાન્ય અને સરળ નુસ્ખાઓથી છુટકારો મેળવી શકાય છે આ સમસ્યા બાળકોથી લઈને વૃદ્ધોમાં જોવા મળે છે જે છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા એકદમ અસરકારક હોઈ છે
કફ દોઢ નિવારણના ઘર ગથ્થું ઉપાય :-
1, 100 ગ્રામ આદુ ને પીસી તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી આ પેસ્ટને બેવાર બે ચમચી સેવન કરવી જેથી છાતી અને ગળામાં જામેલો કફ છૂટો પડશે
2, અડધી ચમચી સફેદ મરી ને પીસી ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી આ મીક્ષરને 10 થી 15 મિનિટ માઈક્રોવેવમાં રાખવું અને બાદમાં આ પેસ્ટ પીવાથી જામેલ કફ માં ખુબ જ ઝડપથી આરામ મળે છે અને કફની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા આ મીક્ષરને એક સપ્તાહ સુધી દિવસમાં 3 વાર નિયમિત લેવું।
3, ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખી તેને મિક્ષ કરી આ મીઠાવાળા પાણીના કોગળા (ગળાના નીચેના ભાગે લઇ જઈ બહાર કાઢવા ) કરવાથી ચોક્કસ પણે  ફાયદો થાય છે જેનાથી ગળામાં જામેલો કફ છૂટો પડે છે આ ક્રિયા દિવસમાં 3 વાર 3 દિવસ કરવાથી ફાયદો થાય છે
4, ફેફસા માં જામી ગયેલા કફને દૂર કરવા એક ચમચી અરડૂસી ના પાનનો રસ દિવસમાં 3 થી 4 વખત લેવાથી કફ છૂટો પડે છે અને ગળફા વાટે બહાર નીકળી જાય છે