ડ્રિન્ક એન્ડ ડરાઇવના આરોપી અતુલ વેકરિયાના જામીન રદ કરવા પોલીસની કોર્ટમાં અરજી - આગોતરા જામીન લઇ શકે છે

ડ્રિન્ક એન્ડ ડરાઇવના આરોપી અતુલ વેકરિયાના જામીન રદ કરવા પોલીસની કોર્ટમાં અરજી - આગોતરા જામીન લઇ શકે છે

સુરતના વેસુ ખાતે આવેલ યુનિવર્સિટી રોડ પર બનેલ અકસ્માતમાં દારૂના નશામાં અતુલ વેકરીયાએ મોપેડ ચાલક યુવતીને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી હતી. આ કેસમાં સાપરાધ મનુષ્ય વધના આરોપનો સામનો કરી રહેલાં અતુલ બેકરીના માલિક આરોપી અતુલ વેકરિયાની નીચલી કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલી જામીન અરજી રદ કરવા માટેની અરજી બુધવારે સરકાર પક્ષ દ્વારા કરવામાં આવી હતી તો બીજી તરફ અતુલ વેકરિયાની ફરી ધરપકડ થાય તેવી ઉર્વશીના પરિવારે માંગ કરી છે. કોર્ટમાં રજુ કરાયેલી અરજી પર હવે દલીલો બાદ કોર્ટ હુકમ જાહેર કરશે. દારૂ પી ડ્રાઇવિંગ કરી રહેલાં આરોપી અતુલ વેકરિયા સામે અગાઉ ઉમરા પોલીસે 304 (એ)ની કલમ લગાવી હતી જે જામીનપાત્ર હોય આરોપી ગણતરીના કલાકમાં જ જામીન મુક્ત થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે લોકોનો રોષ અને પીડિત પરિવારની ન્યાય માટેની લડતને જોઈ કલમ 304 અને 185નો ઉમેરો કર્યો હતો.
સુરત વેસુ ખાતે આવેલ યુનિવર્સીટી રોડ ઉપર આરોપી અતુલ વેકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં યુવતી ઉર્વશી ગંભીર રીતે ઘવાતા તેનું મોત નિપજ્યું હતું ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો અને બીજા દિવસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને 15,000 ના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. જો કે બાદમાં ઘટનાંના ઘેરા પ્રત્યાઘાત પડતા અને મૃતક ઉવર્શીને ન્યાય આપવા માટે સોશિયલ મિડીયામાં અભિયાન છેડાયું અને સાથે જ અતુલ વેકરિયાને કડક સજા થાય તેવા પોસ્ટર પણ મુક્યા હતા જેને લઇ પોલીસે સેશેન્સ ટ્રાયેબલની કલમ 304 લગાવતા બુધવારે કોર્ટમાં આરોપીના જામીન રદ કરવા માટેની અરજી કરી હતી. જામીન રદ કરવાની અરજી થયા બાદ હવે આરોપી ફરતે કાયદાનો સકંજો કસાયો છે ત્યાં બીજી તરફ આરોપી આગોતરા જામીન કરી શકે છે. 2019 ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા આવા કિસ્સામાં પોલીસ કાયદાની કલમનો ઉમેરો કર્યા બાદ પણ આરોપીની સીધી ધરપકડ કરતી હતી જેમાં હવે જામીન રદ કરવાની અરજી થયા બાદ કોર્ટ વોરન્ટ કે નોટિસ ઇશ્યુ કરશે ત્યારબાદ ધરપકડ થશે.