ડભોઇ : ચાંદોદના નર્મદા કિનારે ગંગા દશહરા મહોત્સવની ઉજવણી

ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ના નર્મદા કિનારે ઉજવાઈ રહેલા ૧૦ દિવસીય ગંગા દશહરા મહોત્સવનો શ્રદ્ધાળુઓ લાભ મેળવી રહ્યા છે
ગંગા મૈયા નું પૃથ્વી પર અવતરણ થયું તેની સ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહરા નુ પર્વ મનાવવામાં આવે છે ચાલુ વર્ષે 11 જૂન થી પ્રારંભ થયેલો આ પર્વ 20 જૂન સુધી શ્રદ્ધા ભક્તિથી મનાવવામાં આવશે ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ધાટ ના કિનારે સાંજે યોજાતી દિવ્ય આરતી માં શ્ર્ધ્ધાળુ જોડાય છે અને આ દિવસો દરમિયાન ગંગાજી-નર્મદાજી માં સ્નાન કર્યા નો બેવડો લાભ લે છે