નવસારી : ટાટા સ્કુલ ખાતે સીલ કરવામાં આવેલ મસ્જીદ ખોલી દેવાઈ

નવસારી ટાટા સ્કુલ ખાતે સીલ કરવામાં આવેલ મસ્જીદ આજે ખોલતા મુસ્લિમ સમાજમાં ખુશીની માહોલ
નવસારી ટાટા સ્કુલ ખાતે આવેલ મસ્જીદમાં દરગાહ આવેલ છે જેને લઈને બંને પક્ષે વિવાદ થયેલો હતો અને મમલો હાઇકોર્ટ સુધી પોહોચ્યો હતો. અને કોર્ટે આ મસ્જીદ સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેને લઈને બંને પક્ષે હાઈકોર્ટ ખાતે સમાધાન થતા આજરોજ નવસારી શહેર મામલતદાર દ્વારા સીલ કરવામાં આવેલ મસ્જીદને આજે ખોલી દેવામાં આવતા મુસ્લિમ સમાજમાં ખુશી વ્યાપી જવા પામી છે. કેમ કે આજે રમજાન માસનો છેલ્લો શુક્રવારે આ મસ્જીદ ખુલ્લી મુકવામાં આવતા સમાજના લોકો આ અલાહના હુકમ તરીકે માનીને ખુશી વ્યક્ત કરી હતી.