નવસારી : શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવાઇ

ભારત દેશમાં હિન્દુ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી નવસારીમાં દર વર્ષે કરવામાં આવે છે.
નવસારી ના વિજલપોર ખાતે 20 વર્ષ થી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવા માં આવે છે નવસારીના અલગ-અલગ મંડળો, સંગઠનો અને ગૃપ દ્વારા શિવ જયંતિ નિમિતે સવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 101 યુનિટ બ્લડ ભેગું કરવામાં આવ્યું હતું. જયારે વિજલપોરના શિવાજી ચોક સ્થિત શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પવંદન કરવામાં આવ્યુ હતુ. જોકે કોરોનાને કારણે સવારે બાઈક રેલી રદ કરવામાં આવી હતી. જયારે સાંજે વિજલપોરમાં ડી.જે. નાદ સાથે શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. પરંતુ આ શોભાયાત્રામાં મોટી સંખ્યા માં જોડ્યા હતા આ શોભાયાત્રા દરમિયાન વિજલપોરમાં જય ભવાની.... જય શિવાજી ના નારાઓ ગુજ્યા હતા.