પ્રાંતિજ : દુર્ગા વાહિની ગૌ-રક્ષા દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ , માતૃશક્તિ , દુર્ગા વાહિની ગૌ-રક્ષા દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો જેમા ગોધરાકાંડ મા મૃત્યુ પામેલા રામ સેવકો ને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી .
પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ શ્રી હનુમાન દાદાના મંદિર ખાતે આજે પ્રાંતિજ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ , માતૃ શક્તિ , દુર્ગા વાહિની , ગૌ-રક્ષા ના કાર્યકરો સભ્યો દ્વારા હનુમાન મંદિર ખાતે એકઠા થઈ ને ૧૯ વર્ષ પહેલા ગોધરાકાંડ મા મૃત્યુ પામેલ ૫૯ રામ સેવકો ને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી અને હનુમાન મંદિર ખાતે એકઠા થયેલ કાર્યકરો દ્રારા પુષ્પાંજલિ અર્પી તેમણી આત્મા ને શાન્તિ મળે તે માટે બે મીનીટ માટે મૌન પાડયુ હતુ અને શ્રી રામ ના નારા સાથે મૃતકો ને શ્રધ્ધાંજલી આપી હતી તો આ પ્રસંગે વીએચપી અધ્યક્ષ જશવંત સિંહ રાઠોડ , મંત્રી અંકિતભાઇપટેલ , બજરંગદળ ના મહેન્દ્રસિંહ રાઠોડ , વિજયસિંહ મકવાણા , પ્રસારાજા , ભગવતીબેન પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને ગોધરાકાંડ મા મૃત્યુ પામેલા રામ સેવકો ને શ્રધ્ધાંજલી આર્પી હતી .