પાલનપુર : 12 જૂન થી શક્તિપીઠ અંબાજી મંદિર ખોલવામાં આવશે

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખોલવામાં આવશે, ત્યારે 12 જૂન થી શક્તિપીઠ અંબાજી મંદિર સરકારની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવશે..
કોરોના ની મહામારી ને કારણે જે દેવસ્થાન અને યાત્રાધામો બંદ કરી દેવામાં આવ્યા હતા તે હવે ખુલ્લા મૂકવામાં આવશે ત્યારે 12 જૂનથી અંબાજી શક્તિપીઠ મંદિર પણ ભાવિ ભક્તો માટે ખોલવામાં આવશે પરંતુ, સરકારની ગાઈડ લાઈન મુજબ નીતિ નિયમોનું પાલન કરીને જ ભક્તો માં ના દર્શન કરી શકશે..