ભાભર : ગાયત્રી માતાજી મંદિરનો આઠમો પાટોત્સવની ઉજવણી કરાઈ

ભાભર રાધનપુર હાઇવે ઉપર આવેલા ગાયત્રી માતાજી ના મંદિરનો આઠમો પાટોત્વસ નિમિતે યજ્ઞ અને ધજારોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાભર વૈષ્ણવ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી માતાજી ની પાટોત્વસ ની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના ની મહામારી ને ધ્યાને લઈને સરકાર ની ગાઇડ લાઇન મુજબ આરતી પુજન અને યજ્ઞ જુની પરંપરા મુજબ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ભાવિક ભક્તો એ ગાયત્રી મંત્ર ના ઉચ્ચારણો સાથે યજ્ઞમાં આહુતિ આપીને લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ વૈષ્ણવ ટ્રસ્ટ વતી ભીખાલાલ આચાર્ય, હીરાભાઇ અખાણી તેમજ ગાયત્રી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા જેમાં માતાજી ના ધજારોહણ બાદ હરદેવભાઇ પુજારી દ્દારા માતાજીની આરતી,પુજન કર્યુ હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત ધર્મ પ્રેમી જનતાએ ફ્રુટ,પ્રસાદનો લાભ લીધો હતો.