ભરૂચ : ભાજપની નમો ટિફિન અને ઓક્સિજન સેવા

કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ રહી હોય વિવિધ સેવાભાવી સઁસ્થાઓ દ્વારા ભોજન ,ઓક્સિજન ,દવા,સહિત ની સેવાઓ કરી કોરોના ના દર્દીઓ ને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જેમાં ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા પંદર દિવસમાં પોણી બસ્સો થી વધુ લોકો ને ઓક્સિજ તેમજ 15 દિવસમાં ૨૫૦ લોકોને ભોજન આપવામાં આવેલા છે. ભરૂચ ની આજુબાજુના તમામ એરિયામાં આ સેવા આપવામાં આવી રહી છે. તેમાં ટિફિન સેવા કુલ 15 દિવસમાં 1000 થી 1200 જનને આપવામાં આવેલું છે જે ઘરમાં ક્વોરેન્ટાઈ થયેલા હોય તે લોકોને ટિફિન સેવા ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા દ્વારા નમો ટિફિન પહોંચાડવામાં આવે છે .જે ઘરમાં બધાને પોઝિટિવ કેસ આવેલા હોય તે લોકોન નિઃશુલ્ક ભોજન નું ટિફિન પહોંચાડવામાં આવે છે. ભરૂચ ના જ્યોતિનગર પાસે આવેલ જાલેશ્વર મહાદેવ મંદિરના હોલ માં આ માટેની તૈયારીઓ યુવા કાર્યકરો સતત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, તેમજ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા યુવા કાર્યકરો ને માર્ગદર્શન આપવામાં આવે છે .
અન્ય રાજકીય પાર્ટીઓ પણ કોરોના ના કપરા કાળ માં લોકો ને સહાયરૂપ થવા માટે આવા કોઈ આયોજન કરવામાં આવે તે જરૂરી છે.