ભરૂચ : ભોલાવના વિશ્વેશ્વર મહાદેવ મંદિરે લાલજી મહારાજએ દૂધ પીધું

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ વિશ્વેશ્વર મહાદેવ ના મંદિરે લાલજી મહારાજ ની પંચ ધાતુ ની મૂર્તિ દૂધ પિતા શ્રધ્ધાળુ ઓ ઉમટ્યા હતા અને આ ચમત્કાર નિહાળી ધન્યતા અનુભવી રહ્યા હતા.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ એવન્યુ સોસાયટીના વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં રહેલી લાલજી મહારાજ ની મૂર્તિ ને કોઈક શ્રધ્ધાળુએ દૂધ પીવડાવતા તે દૂધ પીધું હોવાનું જણાયું હતું. આ અંગે ની જાણ મંદિર ના પૂજારી ને કરવામાં આવતા તેવો પણ આ જાણી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દસ વર્ષથી મંદિરમાં પૂજા કરતા પૂજારી એ મૂર્તિ ને દૂધ પીવડાવવા સાથે તપાસ હાથ ધરી તો દૂધ ક્યાં જાય છે તે ખબર ન પડી અનેલોકોની વાત સાચી જણાઈ. આ વાત વાયુ વેગે આસપાસ ના વિસ્તાર માં પ્રસરતા લોકટોળા ઉમટવા લાગ્યા હતા. લોકો પણ પોતાના હાથે દૂધ પીવડાવી અભિભૂત થઈ ધન્યતા અનુભવી રહ્યા હતા.આમ લાલજી દૂધ પીતાં શ્રદ્ધાળુઓ માં આસ્થાની હેલી ચઢી હતી.