માધવપુર : માનવતા પરિવાર દ્વારા જરુરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ

માધવપુર ઘેડ ખાતે માનવતા પરિવાર દ્વારા 211 જરૂયાત મંદ વ્યકતિ ઓ ને રાશન ની કીટ નું વિત્રણ કરવા મા આવ્યું હતું શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ( ગ્રીનફર્ડ યુકે લંડન )
હરિભાગત પૂજ્ય શ્રી હરજીબાપા ની સેવામાં .હરિભાગત પરિવાર .ભાનુમતીબેન કક્કડ.(રંજનબેન) .કસ્તુરબેન ભારમલભાઈ શાહ પરિવાર ( લેશ્ટર યુકે ) દાતા શ્રી ના સંપૂર્ણ આર્થિક સહયોગથી આપવા મા આવ્યો હતો
હાલ કોરોના જેવી મહામારી એ ફરી એક વાર કહેર મચાવ્યો છે ત્યારે નાના મોટા ગામડા ઓમાં સ્વૈચ્છિક લોકડાવુંન કરવા મા આવ્યુ છે ત્યારે માધવપુર ના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેનારાઓ કે જેઓ ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે તેવા 211 જરૂરીયાતમંદ પરિવારોને રાશન કીટ આપવામા આવી હતી. આજકાલ કોરોનાનિ વિકટ પરિસ્થિતિ સામે સરકાર શ્રી તરફથી અપાયેલ સૂચનાઓ તથા સ્થાનિક લેવલે ગ્રામ જનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન ના‌ નિયમો નું પાલન કરી જરૂરિયાતમંદ પરિવારોના રહેણાંક પર જઈને રાશન કીટ અર્પણ કરવામાં આવી.
ત્યારે આ સદ્ કાર્ય મા માનવાતા પરિવાર ના કાર્યકરો તેમજ માધવપુર પોલીસ ના નવનિયુક જાંબાઝ psi એચ.બી.ધાંધલ ઉપસ્થિત રહી ને માનવતા ના કાર્યમાં સહભાગી બન્યા હતા