મોરબી : જીલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરિયા માનવતા મહેકાવી રહ્યા

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરિયા કોરોના મહામારી વચ્ચે ૨૪ કલાક સેવાકાર્યો કરીને માનવતા મહેકાવી રહ્યા છે દર્દીઓ માટે ઇન્જેક્શન, ઓક્સીજન, માસ્ક અને સેનેટાઈઝર સહિતની સેવા કરી રહ્યા હોય અને હવે દર્દીઓ માટે ૩૫ હજાર લીલા નાળીયેર અને ૧૦ હજાર કીલો સંતરા મંગાવ્યા છે જે દર્દીઓને નિશુલ્ક વિતરણ કરશે
મોરબીના યુવા અગ્રણી અજય લોરિયાએ આંધ્રપ્રદેશથી ૩૫ હજાર લીલા નાળીયેર અને ૧૦ હજાર કિલો સંતરા મંગાવ્યા છે જે આવી જતા આજથી દર્દીઓને નિશુલ્ક વિતરણ કરશે મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ હળવદ, વાંકાનેર અને માળિયાની હોસ્પિટલમાં રહેલ કોરોના દર્દીઓઓને લીલા નાળીયેર અને સંતરાનું વિતરણ કરવામાં આવશે
જે વિતરણ કાર્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સેવા આપશે અને દરેક દર્દીઓ સુધી પહોંચાડવામાં મદદ કરશે સેવામાં મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસો પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, સતીશભાઈ બોપલીયા, દિલીપભાઈ આદ્રોજા, અનિલભાઈ વડાવીયા સહિતના ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે તે ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેર સિવિલ હોસ્પિટલ, હળવદ હોસ્પિટલ, ટંકારા અને માળિયા સરકારી હોસ્પિટલ ખાતે ૨૦૦૦-૨૦૦૦ માસ્કનું વિતરણ પણ અજયભાઈ લોરિયા દ્વારા કરવામાં આવ્યું છે