મોરબી : પીજીવીસીએલ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરાઈ

આઝાદી ના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા આઝાદી ના ૭૫ વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આજે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા સલામતી અને ઉર્જા બચત નો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ રેલી પીજીવીસીએલ કચેરી મોરબીથી શરુ કરીને ભક્તિનગર સર્કલે પૂર્ણ કરવામાં આવી હતી તેમજ આ રેલીમાં પીજીવીસીએલના અધિકારી વી એલ ડોબરિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા