માળીયાહાટીના : પાણીધ્રા ગામે કોરોના વોરિયસ તરીકે ની સેવાભાવી લોકોની કામગીરી

માળીયા હાટીના તાલુકાના પાણીદ્ધા ગામે હાલ કોરોના મહામારી નુ સંક્રમણ દિન પ્રતિદિન વધતુ જાઈ છે ત્યારે લોકો પણ કોઈ મૃતક આત્મા ને અડવા તૈયાર નથી ત્યારે પાણીધ્રા ગામે કોરોના વોરિયસ તરીકે ની સારી કામગીરી સેવાભાવી લોકો દ્ધારા કરવામાં આવે છે કોઈ પણ સમયે સતત સ્મશાનમાં હાજર થય કોઇ મૃતક આત્મા ને અંતિમ વિધિ કરવા આવે ત્યારે મદદરૂપ થાઇ છે અને અગ્નિ સંસ્કાર પણ કરે છે તેઓની સરાહનીય કામગીરી થી લોકોમાં ભારે ચર્ચા એ જોર પકડયું છે આ સાચા કોરોના વોયરસ સેવાભાવી વિરમભાઈ નંદાણીયા, ધીરૂભાઈ ભાદરકા ધોધલાભાઈ પરમાર ની કામગીરી ને લોકો પણ બિરદાવી રહ્યાં છે અને સરપંચ આનંદબાપુ ગોસ્વામી એ સેવાભાવી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો