રાહુલ ગાંધીને અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાંથી રાહત

રાહુલ ગાંધીને અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાંથી રાહત

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાંથી આજે રાહત મળી છે.
માનહાની સહિતના બે કેસમાં મુદતે હાજર રહેવામાંથી આજે રાહુલ ગાંધીને મુક્તિ આપવાની માંગણી કોર્ટે મંજુર કરી છે. સુપ્રીમકોર્ટના આદેશ પછી સાંસદો - ધારાસભ્યો સામેના કેસનો વ્હેલીતકે નિકાલ કરવાનો આદેશ અપાયો છે ત્યારે સંસદ રાહુલ ગાંધી સામે અમદાવાદ કોર્ટમાં કેસ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં રાહુલ ગાંધીએ દર વખત રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ માંગતી અરજી કરી હતી જેને આજે કોર્ટે મંજુર કરી હતી.