વિસાવદર : સમભાવ મિત્ર મંડળ દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

વિસાવદર ભરામલ લાતી ખાતે સમભાવ મિત્ર મંડળ દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો
નિયામકશ્રી ની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જૂનાગઢ અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જુનાગઢ ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનું રબારીકા અને સરસઈ તેમજ સમભાવ મિત્ર મંડળ વિસાવદર દ્વારા સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ નું આયોજન તારીખ 27 2 2021 ને રોજ શનિવાર ના રોજ ભરામલ લાતી વિસાવદર મુકામે કરવામાં આવેલ
નિદાન કેમ્પમાં સરકારી આયુર્વેદિક દવાખાનું રબારીકા ના ડોકટર P B બાલસ તેમજ સરકારી આયુર્વેદિક દવાખાનું સરસઇના ડોક્ટર હર્ષદ લીંબાણી દ્વારા નિદાન કરી વિનામૂલ્ય દવાઓ આપવામાં આવેલ તેમજ સ્વસ્થ વૃતિ માર્ગદર્શન રોગ પ્રતિરોધક દવા વિતરણ કરેલ જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ
આ કેમ્પમાં સમભાવ મિત્ર મંડળના પ્રમુખ ઇલ્યાસભાઈ ભરામલ તેમજ સમભાવ મિત્ર મંડળ ના સભ્યો એ જહેમત ઉઠાવેલ હતી