સુરત : 16 વર્ષિય કિશોરીને ત્રણ લગ્ન કરનાર સંબંધી ભગાડી ગયો

શ્રમજીવી પરિવારની 16 વર્ષિય કિશોરીને ત્રણ લગ્ન કરનાર સંબંધી જ ભગાડી ગયો હોય જેને લઈ પુત્રીને પરત અપાવવાની સાથે નરાધમ સામે કડક પગલાની માંગ સાથે પિડીત શ્રમજીવી પરિવાર દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.
સુરતની લોક સમસ્યા નિદાન કેન્દ્રના નેજા હેઠળ સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચેલા શ્રમજીવી પરિવારે આપેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે તેઓ વેસુ ખાતે આવેલ સુમન સાગર આવાસમાં રહે છે અને તેઓના સંબંધી એવા મુળ દરભંગાનો અને હાલ ભટાર ખાતે રહેતો સંબંધી છેદીદાસ ઉર્ફએ સંજય ભોખરાનતાંતી કે જેના અગાઉ ત્રણ વાર લગ્ન થયા છે અને તેની એક પત્નિએ આપઘાત કર્યો હતો જે કેસમાં તે જેલમાં પણ બિહારમાં જઈ આવ્યો છે તે તેઓની 16 વર્ષિય કિશોરીને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જેથી પુત્રીને પરત અપાવી આરોપી સામે કડક પગલા લેવાની માંગ કરી હતી.
હાલ તો શ્રમજીવી પરિવારની કિશોરીને સંબંધી જ નરાધમ ભગાડી ગયો હોય જેની સામે પરિવારે પસ્તાળ પણ પાડી હતી.