સુરત : અઠવાગેટ ખાતે શ્રમજીવીઓના ઝુપડાઓમાં લાગી આગ

અઠવાગેટ ખાતે આવેલ ચોપાટીની બાજુના ખુલ્લા પ્લોટમાં ઝુંપડાઓ નાંખી રહેતા શ્રમજીવીઓના ઝુપડાઓમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતના પોસ વિસ્તાર એવા અઠવાગેટ ખાતે ચોપાટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં કેટલાક શ્રમજીવીઓ ઝુંપડા નાંખી રહેવાસ કરે છે. ત્યારે સવારે અચાનક ઝુપડાઓમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.