સુરત : આયુષ હોસ્પિટલમાં લાગેલી આગના સીસીટીવી આવ્યા સામે

લાલ દરવાજા ખાતે આવેલુ આયુષ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં આગ લાગ્યા બાદ હોસ્પિટલના તબીબો સહિત સ્ટાફે જાનના જોખમે દર્દીઓને બચાવ્યા હોવાનું દેખાઈ આવ્યું છે.
સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે ગત 25મીએ રાત્રીના સમયે લાલ દરવાજા ખાતે આવેલી આયુષ હોસ્પિટલના કોવિડ કેરમાં આગ લાગી હતી. એ.સી.માં શોર્ટ સર્કીટ બાદ આગની ઘટના બનતા ભાગદોડ મચી જવા પામી હતી. જે આગની ઘટનામાં અન્યત્ર ખસેડાયેલા પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતાં. તો આયુષ હોસ્પિટલની આગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા આગ લાગ્યા બાદ જીવના જોખમે દર્દીઓને બચાવ્યા હોવાનુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આયુષ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ હોસ્પિટલ તંત્ર સામે માછલા ધોવાયા હતા જો કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરાયેલી કામગીરી હાલ સીસીટીવી કેમેરાને કારણે સામે આવી છે.