નવા વર્ષની શરૂઆતે જ સુરતથી પાવાગઢ જતા ટેમ્પાને વડોદરા નજીક અકસ્માત નડ્યો હતો જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા તો સાથે નવસારી - સુરત અને સુરેન્દ્રનગરમાં પણ આજ દિવસે અકસ્માતો થયા હતા તો આજે ફરી લાભપાંચમના દિવસે એક દુઃખદ સમાચાર આવ્યા છે.
સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર કોસંબાના નંદાવ પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કારમાં સવાર બે લોકોના મૃત્યુ થયા હતા. આ ગોઝારા અકસ્માતને કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી પરંતુ પોલીસે તુંરત જ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકને કંટ્રોલ કરી હતી અને સાથે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.