સુરત : કતારગામ ખાતે આવેલ કંટારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી

આજથી પવિત્ર શ્રાવણ માસનું પ્રારંભ થયુ છે. ત્યારે શ્રાવણ માસના પહેલા દિવસે કતારગામ ખાતે આવેલ કંટારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી.
શિવજી પ્રિય એવા શ્રાવણ માસનું આજે રવિવાર 8 ઓગષ્ટથી પ્રારંભ થયુ છે. જેને લઈ શિવજીના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતાં. સુરતના કતારગામ ખાતે આવેલ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પહેલા દિવસે રવિવારે ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાદેવની પુજા કરી હતી. કતારગામના મહાદેવ મંદિરમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મહારાજ દ્વારા જ પૂજા કરાઈ હતી. તો બહારથી જ દર્શ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
કોરોનાને લઈ બીજા વર્ષે પણ શ્રાવણ માસમાં ભક્તો ભોલાનાથના મંદિર બહારથી જ દર્શન કરી પુજા અર્ચના કરી રહ્યા છે. આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા મંદિરોમાં પણ ભોલાનાથના નાદ ગુંજી ઉઠ્યા હતાં.