સુરત : કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો

પુણાગામ ખાતે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યુ હતું.
કોરોનાની મહામારીને લઈ સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે પુણાગામ ખાતે આવેલ સાવલીયા સર્કલ પાસે વૈભવ રેસીડેન્સીમાં દિનેશ દેસાઈ તથા કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં અનેક લોકોએ જોડાઈ રક્તદાન એ જ મહાદાનના સુત્રને સાર્થક પણ કર્યુ હતું.
પુણાગામ ખાતે યોજાયેલ કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી શિબિરને સફળ બનાવી હતી.