સુરત : જીઈબીની બેદરકારીને કારણે એક મહિલાનું મોત નીપજ્યું

સુરતમાં જીઈબીની વારંવાર બેદરકારી સામે આવે છે ત્યારે અડાજણ ભાઠા ગામ ખાતે જીઈબીની બેદરકારીને કારણે એક મહિલા પર લટકતો તાર પડતા મોત નિપજ્યુ હતું.
સુરતમાં જીઈબીની બેદરકારી વારંવાર સામે આવે છે. ત્યારે અડાજણ ભાઠા ગામ ખાતે બનેલી ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યુ હતું. બનાવની વિગત જોઈએ તો અડાજણ ભાઠા ગામમાં ઘરના પટાંગણમાં કામ કરી રહેલી મહિલા પર જીઈબીનો લટકતો તાર પડ્યો હતો જેથી મહિલાને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ સ્થાનિકો દોડી ગયા હતા અને જીઈબી સામે પસ્તાળ પાડી હતી. વારંવાર જીઈબીમાં લટકતા વાયર અંગે ફરિયાદ કરવા છતા પણ કામગીરી ન કરાતા મહિલાનો ભોગ લેવાયો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
હાલ તો જીઈબીના કર્મચારીઓની બેદરકારીને લઈ એક મહિલાનુ મોત નિપજ્યુ છે ત્યારે જવાબદારો સામે પગલા લેવાશે કે કેમ તે જોવુ રહ્યું...