સુરત : યુવતીના પ્રેમમાં પાગલ કાકા દ્વારા બે માસૂમ ભત્રીજાની હત્યાનો પ્રયાસ

સુરતના પાંડેસરામાં યુવતીના પ્રેમમાં પાગલ કાકા દ્વારા બે માસૂમ ભત્રીજાની હત્યાનો પ્રયાસ , ત્રીજા માળેથી ઝાડી - ઝાંખરામાં ફેંકી દીધાં
સુરતના પાંડેસરામાં કાકાએ એક પછી એક બન્ને ભત્રીજાઓને ત્રીજા માળેથી ઝાડી -
જંગલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે . ભત્રીજાઓની હત્યાનો પ્રયાસ કર્યા બાદ નાગેન્દ્રએ ભાઈને ખાતા પર મળી ગામ જઇ રહ્યો હોવાનું નાટક રચી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે . એક કલાક બાદ ભાનમાં આવેલા બે પૈકી એક ભાઈએ ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે આવી કાકાની હેવાનિયતનો ભાંડો ફોડતાં બન્ને ભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ લવાતાં તાત્કાલિક ઓપરેશન કરી બચાવી લેવાયા છે . પીડિતના પિતાએ કહ્યું હતું કે નશામાં ધૂત રહેતા ભાઈ નાગેન્દ્રને ઠપકો આપતાં ગાળાગાળીની અદાવતમાં બન્ને દીકરાને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે . મોની હત્યા પાછળ કાકાનું પ્રેમપ્રકરણ બહાર આવ્યું છે
જયપ્રકાશ ગૌતમ ( પીડિતના પિતા ) એ જણાવ્યું હતું કે ' મેં તો ખાતે પર થા , અચાનક નાગેન્દ્ર મુજે મિલને આયા ઔર બોલા , રોલ કિતના નીકલતા હૈ , ઔર ઇસ કે બાદ મેં ગાંવ જા રહા હું , કહકે નીકલ ગયા થા , બાદ મેં પતા ચલા કે ઇસને , મેરે દોનો બેટો કો તિસરી મંજિલ સે બિલ્ડિંગ કે પીછે જાડી મેં ફેંક દિયા થા ' . આ સાંભળી મારા હોંશ ઊડી ગયા હતાં . હું દોડીને ઘરે પહોચ્યો તો મુકુંદ ( ઉં.વ. 14 ) એ તમામ હકીકત જણાવી હતી . કાકા નાગેન્દ્રએ પહેલા આદિત્ય ( ઉં.વ. 13 ) ને રૂમમાંથી લઈ ગયો હતો . થોડીવાર બાદ મને લઈ ગયો અને કમરમાંથી ઊંચકી નીચે ફેંકી દીધો હતો . કંઈ પણ વિચાર આવે એ પહેલાં કાકાએ બન્ને ભાઈઓને મારી નાખવાના ઇરાદે લગભગ 35-40 ફૂટ નીચે ફેંકી દીધા હોવાનું પુત્રએ જણાવ્યું હતું