સુરત : રામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનને તસ્કરોએ બનાવ્યો નિશાન

રાંદેર રોડ રામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર રોડ રામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી જ્યોતિબેન પરમારએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યો હતો. અને ઘરમાં ઘુસી તસ્કરો કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 73 હબજારથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.