સુરત : વરાછામાં જ્વલંત સોસાયટી સામે યુવકને માર મારી કાર ની લૂંટ

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે વરાછામાં જ્વલંત સોસાયટી સામેથી બે જણાને ધમકી આપી એકને માર મારી બે રીઢા લુંટરૂઓ કાર લૂંટીને નાસી ગયા હતાં. બનાવને લઈ ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે લુંટારૂઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માતાવાડી ઈશ્વરકૃપા સોસયટ માં રહેતા મુકેશ મોહન કલસરિયા કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે . રવિવારે તેમને ઓલપાડ જવાનું હતું. તેથી મુકેશે તેમના મિત્ર રાજકુમાર શ્રીવાસ્તવ પાસેથી કાર લીધી હતી. કારમાં મુકેશ તેમના પિતા મોહનભાઈ, માતા કાશીબેન, બહેન સ્વાતી અને ભાઈઓ જીગ્નેશ તથા ભૌતિક સાથે ઓલપાડ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જ્વલંત ટાઉનશિપ પાસે બાઈક પર બે જણે આવી પોતાની ઓળખ નિર્લય ગોસ્વામી અને રૂત્વીક પાટીલ તરીકે આપી હતી. તેઓએ કહ્યું કે આ કાર તેમની છે. મુકેશે કહ્યું કે કાર તેમના મિત્ર રાજકુમારની છે. બંનેએ કહ્યું ચાલ તારા મિત્ર પાસે. મુકેશે તેના ભાઈ જીગ્નેશ સિવાય તમામને ઘરે મુકી દીધા હતા. ત્યાર બાદ થોડા દુર ગયા બાદ બંનેએ મુકેશ સાથે ઝગડો કરીને જીગ્નેશને માર મારી કાર લૂંટીને નાસી ગયા હતા. મુકેશે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ વરાછા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રીઢાઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.