સુરત : શ્રી દર્શન બંગ્લોઝનો મકાન બેંકમાં મોર્ગેજ હોવા છતા અન્યને વેંચી માર્યો

દેવધગામ ખાતે આવેલ શ્રી દર્શન બંગ્લોઝનો મકાન બેંકમાં મોર્ગેજ હોવા છતા અન્યને વેંચી મારી લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર ઠગ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દેવધ ગામ ખાતે રહેતી પ્રિયંકાબેન વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓએ દેવધગામ ખાતે આવેલ શ્રી દર્શન બંગ્લોઝમાં રહેતા ઠગ પ્રકાશ રબારી પાસેથી તેઓનો મકાન ખરીદયુ હતું. અને તેના અવેજમાં તેઓએ 4 લાખ 10 હજાર એડવાન્સ આપ્યા હતા જો કે પ્રકાશ રબારીનો મકાન પહેલેથી આદિત્ય બિરલા કેપીટલ ફાયનાન્સમાં લોન પર હોય જેથી બેંક અને પ્રિયંકાબેન સાથે પ્રકાશ રબારીએ ઠગાઈ આચરી હોય તેની વિરૂદ્ધ 16 લાખ 60 હજારથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ હતી. હાલ તો બનાવ અંગે ગોડાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.