સુરત : સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મફત આંખ નિદાન કેમ્પ યોજાયો

ગોડાદરા ખાતે પૂજ્ય શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ રાજકોટ અને સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.
ગોડાદરા ખાતે આવેલ આસપાસ દાદાના મંદિર ખાતે રવિવારે પૂજ્ય શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટ તેમજ સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મુલ્યે આંખોની તપાસ અને મોતિયાના ઓપરેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. દર મહિનાના બીજા અને ચોથા રવિવારે યોજાતા આ કેમ્પનું રવિવાર 13મી જુનના રોજ ગોડાદરા ખાતે આયોજન કરાયુ હતું જે કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
ગોડાદરા ખાતે યોજાયેલ મફત આંખ નિદાન કેમ્પને સફળ બનાવવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.